Tuesday, 31 January 2017

બજેટથી ભ્રષ્ટાચાર વગરના અર્થંતંત્ર માટેનો માર્ગ મોકળો થશે

બિગ બેંગ રિફોર્મ – ડિમોનેટાઇઝેશન બાદ હવે સરકારે બિગ બેંગ રિફોર્મના ઉદ્દેશનેને હાંસલ કરવા માટે નાના સુધારા કરવાનું શરૂ કરવું જોઇએ. આ પ્રકારના રિફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બજેટ સેશન યોગ્ય સમય છે.


  • સરકારના દરેક રેવેન્યુ ડિજીટલ હોવા જોઇએ - જો તમે મિલકતની ખરીદી કરી છે તો નોંધણી માટે તમારે ડીડી કરવો પડે છે અથવા રોકડની ચુકવણી કરવાની રહે છે. તેથી વ્યક્તિ માટે બેન્કમાંથી રોકડ ઉપાડવી અનિવાર્ય બની રહે છે. તેથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અથવા અન્ય કોઇ પદ્વતિથી સરકારી ચુકવણીને ડિજીટલ બનાવવી જોઇએ. મ્યુનિસિપલ ઓથોરિટીથી માંડીને કેન્દ્ર સરકાર સુધી તે ફરજીયાત બનવી જોઇએ. જકાત અથવા પ્રવેશ કર એ પ્રકારના કર છે જેની ચુકવણી ટેક્સી ડ્રાઇવર દ્વારા રોકડમાં કરવામાં આવતી હોય છે. જો સરકાર કેશલેસ માળખાને લઇને વાસ્તવિક રીતે ગંભીર હોય તો તેઓએ માત્ર ડિજીટલ પેમેન્ટને મંજૂરી આપવી જોઇએ.
  • બેન્ક ચુકવણી દ્વારા સરકારી ખર્ચા ફરજીયાત બનાવવા: નાના વિક્રેતાને પણ રોકડની ચુકવણી બેન્ક એકાઉન્ટ મારફતે થવી જોઇએ. મામૂલી ખર્ચા પર સખત રીતે નિયમનની પણ સંભાળ રાખવી આવશ્યક છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં બેન્કિંગનો વપરાશ ઓછો છે, દેશમાં પ્રવર્તિત ભ્રષ્ટાચારને ઘટાડવા માટે ફેરિયાઓને બેન્ક એકાઉન્ટથી ચુકવણી થાય તે આવશ્યક છે

  • તે ઉપરાંત ટોલ, પાર્કમાં પ્રવેશ અથવા ટ્રાફિક દંડ જેવી નાની ચુકવણીઓ પણ ડિજીટલ માધ્યમથી થવી જોઇએ. તેનાથી શહેરના નાગરિકોને ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં રહે. માઇક્રોપેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર પેટ્રોલપંપ પર જે 0.75 ટકાનું ડિસ્કાઉન્ટ આપે છે તે પ્રકારનું લઘુત્તમ ડિસ્કાઉન્ટ ગ્રાહકને ઓફર કરી શકે છે. હકીકતમાં એકવાર ચુકવણીની પદ્વતિ વધુ સરળ બન્યા બાદ કર્મચારીઓ દ્વારા થતી રોકડની ઉચાપતના કિસ્સાઓમાં પણ ઘટાડો જોવા મળશે.
  • સબસીડીની ચુકવણી આધાર કાર્ડથી જોડાયેલા બેન્ક એકાઉન્ટમાં જ થાય તે અનિવાર્ય છે. સબીસીડીના રૂપમાં એક રૂપિયાનું પણ નાણાં સર્જન ના થાય તે જરૂરી છે. સરકાર દ્વારા કેટલાક સ્તરે તેને મંજૂરી આપવામાં આવી છે જો કે દરેક સરકારી સ્કિમમાં તે ફરજીયાત નથી.
  • જે આવકવેરા કરદાતાઓ તેની આવકમાંથી ખર્ચ તરીકે કપાત પગાર ઇચ્છતા હોય તેનો પગાર પણ બેન્ક એકાઉન્ટમાં થાય તે જરૂરી છે. જો કંપની રોકડમાં પગારની ચુકવણી કરતી હોય તો આયકર વિભાગે તેને ખર્ચ તરીકે પરવાનગી ના આપવી જોઇએ. આ પગલાથી પ્રત્યેક મહિને થતી વધુ રોકડ સર્જનને દૂર કરી શકાશે
  • હાથ ઉપર રોકડ ધરાવતા વ્યક્તિ પાસેથી ટેક્સની વસુલાત: ડિમોનેટાઇઝેશન બાદ હાથ પર વધુ રોકડ રકમ દર્શાવતા પ્રત્યેક વ્યક્તિ પાસેથી ટેક્સની વસુલાત કરવી જોઇએ. કંપની કદાચ હાથ પર રકમ દર્શાવી શકે તેમજ તેનો ભ્રષ્ટાચાર માટે ઉપયોગ કરે તેવુ પણ શક્ય છે. તેથી બેન્કમાંથી ઉપાડેલા જે નાણાંનો વ્યક્તિ દ્વારા નિશ્વિત સમયમર્યાદામાં વપરાશ ના થયો હોય તેના પર ટેક્સ નાખવો જરૂરી છે. કંપની પાસે મોટા પ્રમાણમાં અઘોષિત રકમ હાથમાં હોય તો કદાચ અેવો પણ અર્થ છે કે કંપની તેની પાછળ કોઇ ગેરકાયદેસર ઇરાદો ધરાવતી હોય.
  • પબ્લીક સેક્ટર બેન્કોએ ગ્રામીણ વિસ્તારો સુધી સેવાનો વ્યાપ વધારવો જોઇએ. ભારત સૌથી મોટું પોસ્ટ ઓફિસ નેટર્વક ધરાવે છે. કેટલીક નિશ્વિત વસ્તી ધરાવતા દરેક ગામડાઓમાં પબ્લીક સેક્ટર બેન્ક હોય તે આવશ્યક છે
  • એટીએમ નેટર્વકમાં વધારો: દેશની 125 કરોડની જનતાને સેવા પૂરી પાડતા એટીએમની સંખ્યા માત્ર બે લાખ છે. એટલે કે 6250 લોકો માટે માત્ર એક એટીએમ સેન્ટર. ધારો કે કોઇ એક વ્યક્તિ તેના પરિવારના ત્રણ લોકોની જવાબદારી ઉઠાવે છે તો એટીએમ મારફતે રોકડની ઉપાડ પર નિર્ભર રહેતા લોકોની સંખ્યા 2000 હશે. દુભાર્ગ્યપણે મોટા ભાગના એટીએમ સેન્ટર શહેરી વિસ્તારમાં સ્થિત છે. સંપૂર્ણ દેશ કેશલેસ ઇકોનોમી અપનાવે તે માટે દેશમાં એટીએમ નેટવર્કની સંખ્યા પોસ્ટ ઓફિસ કરતા પણ વધુ હોય તે જરૂરી છે.
  • ડેબિટ કાર્ડ: દેશમાં માત્ર 7.4 કરોડ ડેબિટ કાર્ડ ઉપલબ્ધ છે. કેશલેસ ઇકોનોમીથી લોકો ચિંતિત થાય તે સ્વાભાવિક બાબત છે. દેશમાં 40 કરોડ બેન્ક એકાઉન્ટની સામે ડેબિટ કાર્ડધારકોની સંખ્યા ખૂબ ઓછી છે.
પાર્લામેન્ટનું બજેટ સેશન સ્વચ્છ ભારત માટે સરકારની ગંભીરતાને સાબિત કરવા માટે સોનેરી તક કહી શકાય.

કોનો દોષ કહી શકાય?

તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ તેના 31 ડિસેમ્બરના સંબોધનમાં દેશના માત્ર 24 લાખ લોકોની આવક રૂ.10 લાખથી વધુ હોવાનું જણાવ્યું હતું. લોકો કાર, ઘર કે અન્ય વસ્તુની ખરીદી પાછળ જે ખર્ચ કરે છે તેની સરખામણીએ આંકડો ખૂબ ઓછો હોવાનું કહેવાય છે. સંબોધનમાં લોકો અપ્રમાણિક હોય તેવો ઇશારો થયો હતો અને તેથી આ આંકડો ઓછો હતો. દેશમાં વાર્ષિક રૂ.10 લાખથી વધુ આવક ધરાવતા લોકોની આદર્શ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કોઇ નિષ્ણાંતે કર્યો નથી. કેટલાક સમાચારના રિપોર્ટમાં દર્શાવાયું છે કે વાર્ષિક 25 લાખ કારનું વેચાણ થયું હતુ જ્યારે જે રીતે તેઓ ઇન્કમટેક્સની ચૂકવણી કરે છે તે અનુસાર માત્ર 24 લાખ લોકો એક કારની ખરીદી કરી શકે છે. ચાલો દેશમાં વાર્ષિક 10 લાખથી વધુ આવક ધરાવતા લોકોની એક અંદાજિત આંકની ધારણા કરીએ, 125 કરોડની વસ્તીમાંથી અંદાજિત 2 કરોડ લોકો? અર્થ એ થયો કે આપણે 12 ટકા અનુપાલન સ્તર સુધી જ પહોંચી શક્યા છે કે તેનાથી પણ ઓછુ એવું કહી શકાય.

સવાલ એ છે કે દેશના અનેક લોકો નિયમનું પાલન નથી કરતા તો સમસ્યા લોકો દ્વારા છે અથવા કાયદામાં જ સમસ્યા છે?

બ્રિટિશ કર માળખાને અાધારે દેશમાં કરવેરાના કાયદાનું નિમાર્ણ થયું છે. તેઓએ નાના ટેક્સ બેઝ અને નિવાર્ય આવક પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આવકની સરખા ભાગે વહેંચણી થતી હોવાથી સમાજવાદી વિચારે ટેક્સના માળખાને વધારે સરળ બનાવ્યું હતું. 100 વર્ષ અગાઉ વર્ષ 1922માં જ્યારે આવકવેરાની રજૂઆત કરાઇ ત્યારથી પરિસ્થિતિમાં પરિવર્તન પ્રવર્તિત છે.

નીચેના કારણોને ધ્યાનમાં રાખીને આવકવેરા કાયદામાં સુધારો અનિવાર્ય છે:

  • દેશમાં મધ્યમવર્ગનો ઉદય: દેશમાં મધ્યમવર્ગનું કદ યુએસની કુલ વસ્તી કરતા પણ વધુ છે. આપણે આંકડાઓની દૃષ્ટિએ 30 કરોડ લોકોની વાત કરી રહ્યા છીએ. અગાઉ ટેક્સની ફરજીયાત ચૂકવણી કરનાર લોકોની સંખ્યા પણ ઓછી હોવાથી ટેક્સના માળખામાં પરિવર્તન અનિવાર્ય છે. અહીં નોંધપાત્ર વાત એ છે કે આ મધ્યમવર્ગ 20 વર્ષ અગાઉ કરમર્યાદામાં સમાવિષ્ટ ના હતો. 
  • ભારતની વસ્તી: દેશની વસ્તીમાં કૂદકે અને ભૂસકે વધારો થઇ રહ્યો છે. દેશમાં 50 કરોડની વસ્તી દરમિયાન અમલી બનેલા કાયદાથી જ 125 કરોડની વસ્તીનું સંચાલન કપરુ કાર્ય છે. 60,000 કરવેરા અધિકારીઓની મંજૂર થયેલી મર્યાદાનો અર્થ એ થયો કે પ્રત્યેક કરવેરા અધિકારીઓને 20,000 લોકોનું સંચાલન કરવાનું રહે છે. અાપણે ભાગીદારી, કંપની, ટ્રસ્ટ, એસોસિએશન જેવી કૃત્રિમ કાયદાકીય એન્ટાઇટીની પણ ગણતરી નથી કરી રહ્યા. મંજૂર થયેલી જગ્યાઓમાંથી હજુ પણ 8000 જગ્યાઓ ખાલી છે.
  •  ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ: ઇન્ફર્મેશન ટેક્નોલોજીના વપરાશે બેન્કિંગ કાર્યપ્રણાલીની પરિભાષા જ બદલી નાખી છે. વર્તમાન સમયમાં મોબાઇલ ટેલિફોનના વધતા વપરાશને કારણે ક્રેડિટ કાર્ડ દ્વારા થતા પ્રત્યેક આર્થિક વ્યવહારો કે સોદાઓ ઓટીપી અથવા પીન એન્ટ્રીથી સંપૂર્ણપણે સલામત છે. આર્થિક વ્યવહારોને માન્ય કરવા માટે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશિનનું મોબાઇલ ફોન નેટવર્ક દ્વારા જોડાણ હોય છે. દેશમાં દસ વર્ષ અગાઉ આ સિસ્ટમ ગેરહાજર હતી અને અાવકવેરા વિભાગે હજૂ પણ તેની કાર્યપ્રણાલીમાં કોઇ પરિવર્તન નથી કર્યું.ફાઇનાન્સ: ભૂતકાળમાં ભારતીયો તેની પાસે ઉપલબ્ધ મહત્તમ રકમ ખર્ચ કરવાનું પસંદ કરતા હતા. હવે, ભારતીય નાગરિકો મહત્તમ ઉધાર રોકડથી બને તેટલુ ખર્ચ કરવાની ઇચ્છા રાખે છે. અાવકમાં સ્થિરતાએ ભારતીય બેન્કો અને આર્થિક સંસ્થાઓને વ્યાજે નાણાં આપવાની હિંમત પૂરી પાડી છે. બેન્કો ખાનગી લોન, ક્રેડિટ કાર્ડ, પ્રોપર્ટી સામે લોન અને ટર્મ લોનના રૂપમાં ઉછીના કે વ્યાજે નાણાં આપવાની સુવિધા પૂરી પાડે છે. આ દરેક પ્રકારની લોન મેળવવા માટે વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તેમજ આયકર વિભાગમાં નોંધાયેલી તેની આવક દર્શાવવાની જરૂરીયાત રહે છે. નોંધપાત્ર બાબત એ છે કે મોટા ભાગના લોકો ટેક્સ બ્રેકેટમાં નથી આવતા જ્યારે કેટલાક લોકો બ્રેકેટ હેઠળ આવતા હોવા છતાં ઇરાદપૂર્વક ટેક્સની ચૂકવણી નથી કરતા. અહીં સમસ્યા એ સર્જાય છે કે લોકો સરળતાથી લોન મેળવવામાં અસમર્થ રહે છે.

આવકવેરાના કાયદામાં મહત્વના પરિવર્તન તરીકે હું ભલામણ કરું છું કે ટેક્સ સ્લેબની હાલની મર્યાદા રૂ.2.5 લાખથી ઘટાડીને રૂ.1 લાખ કરવી જોઇએ જ્યારે ટેક્સ રેટ 10-30 ટકાથી ઘટાડી 1-10 ટકા કરવાની જરૂરીયાત છે. તેનાથી ભારતીયોની કરવેરા ચૂકવણીની પદ્વતિમાં આમૂલ પરિવર્તન જોવા મળશે તેમજ તેનું મોટા પાયે અનુપાલન પણ શક્ય બનશે.