Tuesday 31 January 2017

આવક જાહેરાતની સ્કીમ : પ્રમાણિક કરદાતા માટે દંડ સમાન

સરકારે આક્રમક રીતે ઇન્કમ ડિકલેરેશન સ્કીમનુ (આવક જાહેરાતની સ્કીમ) માર્કેટિંગ કરવાનુ શરૂ કર્યું છે. દૂભાર્ગ્યપણે સરકારે સ્કીમના નામ પાછળ વર્ષ જેટલો સમય વિતાવ્યો હતો. આ કરચોરી કરનારને આશાવાદી બનાવે છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારની સ્કીમ આપણા માટે રજૂ થતી રહેશે.

દેશનો આયકર વિભાગ છટકબારીને શોધવામાં અને કરચોરી કરનારને પકડવામાં નિષ્ફળ સાબિત થયો છે. કરચોરી કરનારને તેની કાળા નાણાંની આવકને રજૂ કરવા તેમજ ટેક્સ ચુકવવાની તક આપવા સરકાર દ્વારા આ પ્રકારની માફીને લગતી સ્કીમ રજૂ કરવામાં આવતી હોય છે. શરૂઆતમાં સ્કીમ સારી લાગે છે. સરકાર એક જ ઝટકામાં મોટા પ્રમાણમાં ટેક્સ રેવેન્યુ એકત્ર કરી શકે છે, કરચોરી કરનાર અસક્યામતો મેળવે છે અને અર્થતંત્રમાં ફરીથી રોકડ પ્રવાહ ફરતો થશે

જો કે આ પ્રમાણિક રીતે સમયસર ટેક્સ ચુકવતા કરદાતા માટે મોટા દંડ સમાન બાબત કહી શકાય.

આ પ્રકારની આવક જાહેરાતને લગતી સ્કીમ શા માટે કાળા નાણાના દુષણને નાથવા અસરકારક નથી તે અંગેના કારણો જોઇએ.

  • આ પ્રકારની સ્વૈચ્છિક આવકની જાહેરાતને લગતી સ્કીમથી સરકાર માત્ર થોડાક પ્રમાણમાં જ રેવેન્યુ અેકત્ર કરી શકે છે. ભુતકાળમાં કરદાતાએ કરેલી ટેક્સની ચોરીના પ્રમાણમાં આ ખુબ ઓછી રકમ છે. ટેક્સ ના ચુકવતા કરદાતાએ ભોગવવા પડતા ગંભીર શિક્ષાત્મક પરિણામોની પરવા કર્યા વગર સરકાર દ્વારા અનેક છૂટછાટ અપાતી હોય છે.
  • કરચોરીની તપાસ કરવા માટે કોઇ પગલા નથી. તેના બદલે તેને કરચોરી માટે ઇન્સેન્ટિવ આપે છે કે જે સમયે સમયે જાહેર થતી આ પ્રકારની સ્કીમ દ્વારા નિયમન થતુ રહેશે.
  • નિષ્ણાંતોની કમિટીએ પણ આ પ્રકારની સ્કીમની નિંદા કરી હતી અને આ પ્રકારની સ્કીમનો સામાજિક અને માન્ય કરવામાં પણ ખર્ચ છે કે જે નાણાની દષ્ટિએ નથી માપી શકાતો. ચોક્સ કમિટી (1978) અનુસાર ડીસ્ક્લોઝર સ્કીમ વાતાવરણને વધારે દુષિત કરે છે. વાંછો કમિટીએ પણ કહ્યું હતું કે સરકારની નિયમો તોડનાર વિરુદ્વની આ પ્રકારની સ્કીમની પદ્વતિ ખાસ કરીને કરદાતાઓના વિશ્વાસને જ હાનિ પહોંચાડે છે અને આ પદ્વતિ વિરુદ્વ તિરસ્કાર કે અણગમો ઊભો કરે છે.
  • વર્ષ 1984માં નેશનલ ઇન્સટિટ્યુટ ઓફ પબ્લીક ફાઇનાન્સ એન્ડ પોલિસીએ બ્લેક મની પરના તેના એક રીપોર્ટ કે જે સરકારના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર શંકર આર્ચાય દ્વારા તૈયાર થયેલ છે તેમા જણાવ્યું છે કે કાળા નાણાંના દુષણને નાથવા માટે VDIS જેવી સ્કીમ લાંબા ગાળે અસરકારક સાબિત થાય તેવી ખુબ ઓછી શક્યતા છે. દરેક બાબત કે જે તેની તરફેણમાં હાલમા કહી શકાય એ છે કે તે માત્ર ટૂંકા ગાળા માટે રેવેન્યુ એકત્રીકરણને વેગ આપશે.
    • આ પ્રકારની સ્વૈચ્છિક આવકની જાહેરાતને લગતી સ્કીમથી સરકાર માત્ર થોડાક પ્રમાણમાં જ રેવેન્યુ અેકત્ર કરી શકે છે. ભુતકાળમાં કરદાતાએ કરેલી ટેક્સની ચોરીના પ્રમાણમાં આ ખુબ ઓછી રકમ છે. ટેક્સ ના ચુકવતા કરદાતાએ ભોગવવા પડતા ગંભીર શિક્ષાત્મક પરિણામોની પરવા કર્યા વગર સરકાર દ્વારા અનેક છૂટછાટ અપાતી હોય છે.
    • કરચોરીની તપાસ કરવા માટે કોઇ પગલા નથી. તેના બદલે તેને કરચોરી માટે ઇન્સેન્ટિવ આપે છે કે જે સમયે સમયે જાહેર થતી આ પ્રકારની સ્કીમ દ્વારા નિયમન થતુ રહેશે.
    • નિષ્ણાંતોની કમિટીએ પણ આ પ્રકારની સ્કીમની નિંદા કરી હતી અને આ પ્રકારની સ્કીમનો સામાજિક અને માન્ય કરવામાં પણ ખર્ચ છે કે જે નાણાની દષ્ટિએ નથી માપી શકાતો. ચોક્સ કમિટી (1978) અનુસાર ડીસ્ક્લોઝર સ્કીમ વાતાવરણને વધારે દુષિત કરે છે. વાંછો કમિટીએ પણ કહ્યું હતું કે સરકારની નિયમો તોડનાર વિરુદ્વની આ પ્રકારની સ્કીમની પદ્વતિ ખાસ કરીને કરદાતાઓના વિશ્વાસને જ હાનિ પહોંચાડે છે અને આ પદ્વતિ વિરુદ્વ તિરસ્કાર કે અણગમો ઊભો કરે છે.
    • વર્ષ 1984માં નેશનલ ઇન્સટિટ્યુટ ઓફ પબ્લીક ફાઇનાન્સ એન્ડ પોલિસીએ બ્લેક મની પરના તેના એક રીપોર્ટ કે જે સરકારના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર શંકર આર્ચાય દ્વારા તૈયાર થયેલ છે તેમા જણાવ્યું છે કે કાળા નાણાંના દુષણને નાથવા માટે VDIS જેવી સ્કીમ લાંબા ગાળે અસરકારક સાબિત થાય તેવી ખુબ ઓછી શક્યતા છે. દરેક બાબત કે જે તેની તરફેણમાં હાલમા કહી શકાય એ છે કે તે માત્ર ટૂંકા ગાળા માટે રેવેન્યુ એકત્રીકરણને વેગ આપશે.
    • 1997ના VDISને લઇને મુંબઇ હાઇકોર્ટમાં ચાલેલા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર અને યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં 93 ટેક્સ કરતદાતાએ VDISના નૈતિક પાસાઓની પ્રતિકૂળ રીતે ટીકા કરી હતી. કોર્ટ અનુસાર VDIS અપ્રામાણિક કરદાતાઓને ફાયદો કરાવે છે જ્યારે પ્રમાણિક કરદાતાઓને સહન કરવાનો વારો આવે છે તેમજ સ્કીમનો દુરુપયોગ કરવાની તક પણ મળી રહે છે.

    ટૂંકમાં સરકારે આ પ્રકારની મોન્સુન ડિસ્કાઉન્ટ સેલ સ્કીમ કરતા કાયદાઓને વધુ કડક બનાવવા જોઇએ અને તેનુ સખ્તાઇથી પાલન થાય તે પર ધ્યાન આપવુ જોઇએ.

No comments:

Post a Comment